વડતાલે આંબા હેઠે પરમહંસે સહિત શ્રીજીમહારાજ સભાકરીને વિરાજમાન હતા ને સર્વે પરમહંસ શ્રીજીમહારાજનાચરણકમળ સામું ચકોર પક્ષીની પેઠે જોઇ રહ્યા હતા. પછી ચારપાટીદાર શ્રીજીમહારાજ પાસે આવ્યા ને ત્યારપછી શ્રીજીમહારાજેચરણારવિંદ લાંબાં કર્યા, તે ચરણારવિંદ સામું જોઇને તે બોલ્યાજે,‘હે મહારાજ ! તમારાં ચરણારવિંદ સામું જોઇએ છઈએ ત્યારેતો તમે પુરુષોત્તમ ભગવાન જણાઓ છો, ને તમારા શરીરસામું જોઇએ છીએ ત્યારે તો તમે મનુષ્ય જેવા જણાઓ છો,ને અમોએ ઘણે ઠેકાણે સભા દીઠી છે, પણ આમ એક નજરેતમ સામું સર્વે મનુષ્ય જોઇ રહ્યા છે, તેમ કોઇ ઠેકાણે આવીમનુષ્યની સભા અમોએ દીઠી નથી. માટે અમોને આ વાત જેમસમજાય તેમ કૃપા કરીને કહો.’ ત્યારપછી શ્રીજીમહારાજે કહ્યુંજે,‘વૈરાટબ્રહ્મા છે તેણે આ ચરણારવિંદ પૃથ્વી ઉપર આવે તેનેઅર્થે પોતાનાં પચાસ વર્ષ ને દોઢ પહોર દિવસ ચડ્યો ત્યાં સુધી સ્તુતિ કરી, ત્યારે આ ચરણારવિંદ પૃથ્વી ઉપર આવ્યાં છે, પણતમે તો હવે સૂઝે એમ સમજો… ને વળી હું અક્ષરધામમાંથીસદ્ગુરુરૂપી સૂર્ય પ્રગટ થયો છું ને આ સર્વે સંત છે તે સૂર્યમુખીકમળ ખીલ્યાં છે, તે સર્વે મારા મુખકમળ સામું જોઇ રહ્યાછે.’ એવી રીતે શ્રીજીમહારાજે પોતાના પુરુષોત્તમપણાની બહુવાત કરી, તેને સાંભળીને તેમને શ્રીજીમહારાજના સ્વરૂપનોનિશ્ચય થયો. ।।૧૯।।