ભાદર નદીને કાંઠે આત્માનંદસ્વામીએ શ્રીજીમહારાજનેકહ્યું જે,‘હે મહારાજ ! સત્સંગ તો બહુ થયો.’ ત્યારે શ્રીજી-મહારાજે કહ્યું જે,‘હજી સત્સંગ કયાં થયો છે ?’ એમ કહીનેબોલ્યા જે,‘એક એક એકાંતિક સાધુ વાંસે લાખ લાખ મનુષ્યફરશે ત્યારે જાણીએ જે સત્સંગ થયો અને વળી બ્રહ્માંડ આખાનાજીવ ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ ભજન કરશે ત્યારેસત્સંગ થયો એમ જાણવું.’ એમ કહીને વળી બોલ્યા જે,‘કરોડવહાણે કરીને એક મનવાર ભરાય એવી સો કરોડ મનવારોભરાય એટલા જીવનું કલ્યાણ કરવું છે. તે સારુ અમેઅક્ષરધામમાંથી અમારા પાર્ષદે સહિત આંહીં પધાર્યા છઈએત્યારે તેટલા જીવનું કલ્યાણ શી રીતે થાય ? પછી અમે વિચારકર્યો જે, જે જીવ અમારું દર્શન કરે તેનું કલ્યાણ થાય, પછીવળી અમે વિચાર કર્યો જે, અમારાં દર્શન પણ કેટલાક જીવનેથાશે ? માટે અમારા સાધુના દર્શન કરે તેનું તથા તેનો ગુણલે તેનું પણ કલ્યાણ થાય; પછી વળી વિચાર કર્યો જે, અમારાસાધુનાં પણ દર્શન કેટલાક જીવને થાશે ? માટે અમારા સત્સંગીનાદર્શન કરે તથા સત્સંગીને જમાડે તથા સત્સંગીને પાણી પાયતથા સત્સંગીનું પાણી પીએ તથા સત્સંગીનો ગુણ લે એ સર્વેનુંઅમારે કલ્યાણ કરવું છે. એવી રીતે સો કરોડ મનવારો લાવ્યાછઈએ તે ભરવી છે; પણ તે કલ્યાણમાં અનંત પ્રકારના ભેદછે તે દષ્ટાંતે કરીને કહીએ છઈએ.તેમાં પ્રથમ તો તે મનવારોમાં ચિંતામણિઓ ભરશું, પછીપારસમણિઓ, પછી હીરા, પછી મોતી, પછી દાગીના, પછીસોનામહોરો, પછી રાળ , પછી રૂપિયા, પછી કોરીઓ ને પછીબીજા પદાર્થ ભરશું; ને તેમ કરતાં છેલ્લી બાકી ખાલી રહેશેતો ગારો ભરશું; એ પ્રકારે પૂર્ણ કરીને મનવારો ભરવી છે.એવી રીતે ભકતના અનંત પ્રકારના ભેદ છે; માટે જેટલો જીવનેભગવાનનો નિશ્ચય ને સંબંધ થાય છે તેવું જીવનું કલ્યાણ થાયછે.’ એવી રીતે પોતાના મહિમાની બહુ વાત કરી. ।।૨૦।।