વરતાલે ઉગમણા બંગલાને વિષે શ્રીજીમહારાજને ઝવેરભકતે પૂછ્યું જે,‘હે મહારાજ ! અક્ષરધામને વિષે ભગવાનનીમૂર્તિ કેવી હશે ?’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,”આ પ્રત્યક્ષઅમે બેઠા છઈએ તેવી જ અક્ષરધામને વિષે ભગવાનની મૂર્તિછે.” ત્યારપછી તે ભકતે ફરીને પૂછ્યું જે,‘હે મહારાજ ! કૃપાકરીને જેવી અક્ષરધામને વિષે મૂર્તિ છે તેવી દેખાડો.’ ત્યારેતે ભકતને શ્રીજીમહારાજે સમાધિ કરાવીને અક્ષરધામને વિષેપોતાની મૂર્તિનું પ્રત્યક્ષ પ્રમાણ દર્શન કરાવ્યું, ને અનંતકોટિ મુકતતથા અનંત ઐશ્વર્ય તથા અનંત શકિતઓ તેનું દર્શન કરાવીનેપોતાના સ્વરૂપનો પ્રત્યક્ષપણે સર્વોપરી નિશ્ચય કરાવ્યો. એવીરીતે શ્રીજીમહારાજે ઝવેરભકતને પોતાનું ઐશ્વર્ય દેખાડ્યું. ।।૨૧।।