શ્રીજીમહારાજ પરમહંસે સહિત નર્મદાને કાંઠે ધ્યાન કરવાબેઠા. પછી ઘણી વાર થઇ ત્યારે મુકતાનંદસ્વામીએ હાથ જોડીનેબે-ત્રણ વાર કહ્યું જે,‘હે મહારાજ ! તમે જમો તો ઠીક. એટલેસર્વે સંત પણ ટીમણ કરે.’ પછી ઘણી વારે ધ્યાનમાંથી ઊઠીનેબોલ્યા જે, ‘ટીમણ તો સર્વેને કરવાં છે પણ અમારે તો તમનેસહુને વાત કરવી છે.’ પછી મુકતાનંદસ્વામીએ કહ્યું, ‘હેમહારાજ ! તમે વાત કરો.’ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,‘આ પચાસ કોટિ યોજન પૃથ્વી છે, તેથી દશગણું જળ છે, તેથીદશગણું તેજ છે, તેથી દશગણો વાયુ છે, તેથી દશગણો આકાશછે, તેથી દશગણો અહંકાર છે, તેથી દશગણાં પ્રધાનપુરુષ છે,તેથી અનંતગણાં પ્રકૃતિપુરુષ છે ને તેથી અનંતગણું પર અક્ષરધામછે. તે ધામને વિષે રહ્યા જે અનંતકોટિ મુકત તેમને પુરુષોત્તમનોસંબંધ છે પણ બીજા કોઈ ધામને વિષે પુરુષોત્તમનો સંબંધ નથી.કેટલાકને તો ઇન્દ્રાદિકનો સંબંધ છે, કેટલાકને તો બ્રહ્માદિકનોસંબંધ છે, ને કેટલાકને તો વૈરાટાદિકનો સંબંધ છે, કેટલાકનેપ્રધાનપુરુષનો સંબંધ છે, ને કેટલાકને તો પ્રકૃતિપુરુષાદિકનોસંબંધ છે, પણ પુરુષોત્તમ ભગવાનનો સંબંધ કોઇને નથી.ત્યારે મુકતાનંદસ્વામીએ કહ્યું જે,‘હે મહારાજ ! આંહીંકોઇકને પુરુષોત્તમનો સંબંધ હોય તો કેમ ?’ ત્યારે શ્રીજીમહારાજેકહ્યું જે,‘એટલી જ વાત સમજવાની છે. કેમ જે, અક્ષરધામનામુકતને સાક્ષાત્ પુરુષોત્તમનો સંબંધ છે તે જ પુરુષોત્તમનો તમારેઆંહીં સાક્ષાત્ સંબંધ થયો છે; પણ બીજા કોઇ ધામના મુકતનેઆ પુરુષોત્તમનો સંબંધ નથી.’ એટલી વાત કરી.પછી પોતાની આગળ પકવાન્નનો થાળ બ્રહ્મચારી લાવ્યાહતા, તે થાળ પડતો મૂકીને પોતે સાથવો ને મીઠું જમ્યા; નેપછી ત્યાંથી ચાલ્યા. ।।૨૨।।