જાળિયામાં હીરાભાઇને ઘેર શ્રીજીમહારાજે શરીરે મંદવાડજણાવ્યો ને પછી મુકતાનંદસ્વામી આદિક પરમહંસ ત્યાં આવ્યા;પછી મુકતાનંદસ્વામીએ પૂછ્યું જે,‘હે મહારાજ તમારે શરીરે કસરથઇ હતી ?’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,‘અમારે શરીરે કસરનહોતી થઇ, પણ અમો તો તમોએ બહુ તપ કર્યું તે તમારાસારુ ધામ જોવા ગયા હતા; એટલે આ લોકની વિસ્મૃતિ થઇહતી, તેણે કરીને શરીરે કસર જેવું જણાણું, તે પ્રથમ તો અમેબદરિકાશ્રમમાં ગયા, ત્યારે તે આશ્રમના વાસી નરનારાયણબોલ્યા જે,‘હે મહારાજ ! તમે દયા કરીને ભલે અમારા આશ્રમમાંપધાર્યા.’ પછી તે સર્વેએ અમારી પૂજા, આરતી, સ્તુતિ કરીને બેઠા, પછી તેને અમે કહ્યું જે,‘અમારા સાધુએ બહુ તપ કર્યુતે સારુ ધામ જોવા આવ્યા છઈએ.’ ત્યારે તેમણે કહ્યું જે, ‘હેમહારાજ ! આ ધામ તમારું છે માટે આંહીં સાધુને રાખો.’પછી અમને એમ વિચાર થયો જે, આંહીંના જેવું તો ત્યાં પણતપ કરે છે.પછી ત્યાંથી શ્વેતદ્વીપમાં ગયા, ત્યારે ત્યાંના વાસી જેવાસુદેવ તેણે અમને પધરાવીને પૂજા, આરતી, સ્તુતિ કરી નેબેઠા. પછી તે બોલ્યા જે, ‘હે મહારાજ ! બહુ દયા કરીને અમનેદર્શન દીધાં.’ ત્યારે તેને અમે કહ્યું જે, ‘અમે તો અમારા સાધુએબહુ જ તપ કર્યું તેના સારુ ધામ જોવા આવ્યા છઈએ.’ પછીતેણે કહ્યું જે, ‘હે મહારાજ આ ધામ તમારું જ છે માટે આંહીંસાધુને રાખો.’ પણ અમને એમ જણાણું જે, આ સ્થાન તોતપ કરવાને બહુ સારું છે, પણ પ્રભુ ભજવાનું સુખ બરાબરજણાણું નહીં. શા માટે જે, ક્ષીર સમદ્રુ એક કોર હડુડ્યાકરે છે.પછી ત્યાંથી અમે વૈકુંઠલોકમાં ગયા, ત્યારે તે વૈકુંઠવાસીજે રામચંદ્રજી તેમણે અમને પધરાવીને અમારી પૂજા, આરતી,સ્તુતિ કરી ને બેઠા, પછી તમે ણે અમને કહ્યું જે,‘હે મહારાજ બહુદયા કરીને દશર્ન દીધા.’ ત્યારે તેને અમે કહ્યું જે, ‘અમારા સાધુએબહુ તપ કર્યું તેને અર્થે અમે ધામ જોવા આવ્યા છઈએ. ’ ત્યારેતેણે કહ્યું જે,‘હે મહારાજ ! આ ધામ તમારું છે, માટે આંહીંસાધુને રાખો.’ પણ અમને એમાં કાંઇ પ્રભુ ભજવાનું સુખ જણાણુંનહિ; શા માટે જે, ચાર ભુજા ને સ્ત્રીઓનો પ્રસગં તે ઠીક નહિ.પછી અમે ત્યાથીં ગોલોકમાં ગયા, ત્યારે ત્યાંના વાસી જેશ્રીકૃષ્ણ તેમણે અમને સિંહાસન ઉપર પધરાવીને અમારી પૂજા,આરતી, સ્તુતિ કરી ને બેઠા, પછી અમને કહ્યું જે,‘હે મહારાજ!બહુ દયા કરીને અમને દર્શન દીધા.’ ત્યારે તેને અમે કહ્યું જે,‘અમારા સાધુએ બહુ તપ કર્યું, તેને અર્થે ધામ જોવા આવ્યાછઈએ.’ ત્યારે તેમણે કહ્યું જે,‘હે મહારાજ ! આ ધામ તમારુંછે, માટે આંહીં સાધુને રાખો.’ પણ અમને એમાં કાંઇ સુખેપ્રભુ ભજાય એવું જણાણું નહિ; કેમ જે, ગોપ, ગોપીઓ, ગાયો,વાછરડા, છાશું આદિક કેટલીક જાતના વિક્ષેપ, તેથી પ્રભુભજાય નહિ.પછી ત્યાંથી અમે પ્રકૃતિપુરુષના લોકમાં ગયા, ત્યારે પુરુષઅને પ્રકૃતિ તેમણે અમારી પૂજા, આરતી, સ્તુતિ કરી ને બેઠા,પછી તેણે કહ્યું જે,‘હે મહારાજ ! બહુ દયા કરીને દર્શન દીધાં’ત્યારે અમોએ તેને કહ્યું જે,‘અમે દર્શન દેવા નથી આવ્યા, અમેતો અમારા સાધુએ બહુ જ તપ કર્યું, તેને અર્થે ધામ જોવા આવ્યાછઈએ.’ પછી તેમણે કહ્યું જે,‘આ ધામ તમારું જ છે માટે આંહીંસાધુને રાખો.’પછી અમને વિચાર થયો જે, ‘આ પુરુષ કાળો કેમ હશે ?’તેથી અમે પ્રકૃતિને પૂછ્યું, ત્યારે તે પ્રકૃતિએ કહ્યું જે,‘પુરુષ મારીસાથે જોડાણો, તેણે કરીને મારી શ્યામતા હતી તે પુરુષમાં ગઈને પુરુષનો પ્રકાશ હતો તે મારામાં આવ્યો.’ પછી અમને વિચારથયો જે, આંહીં સાધુને રાખવા તે પણ ઠીક નહિ; કેમ જે,માયા કાળા કરી નાખે.પછી ત્યાથીં અમે અક્ષરધામમાં ગયા. પછી તે અક્ષરધામનામુકતે અમારી બહુ પ્રકારના ઉપચારે કરીને પૂજા કરી, તથા સ્તુતિકરી ને બેઠા. પછી તે મુકતને અમોએ કહ્યું જે, અમે મૃત્યુલોકનેવિષે પધાર્યા હતા, ત્યારે ત્યાંના મનુષ્ય તથા સંતે બહુ જ તપકરીને અમને રાજી કર્યા છે; તે માટે તેમના અર્થે અમે ધામજોવા ગયા હતા; કે જે ધામમાં બહુ સુખ હોય તે ધામમાં તેનેરાખીએ. તેથી અમે બદરિકાશ્રમ તથા શ્વેતદ્વીપ તથા વૈકુંઠ,ગોલોક એ આદિક ધામ જોયા; પણ તે ધામને વિષે ઉપાધિએરહિત એવું ભગવાનને ભજયાનું સંપૂર્ણ સુખ દીઠું નહિ; તેથી અમેઆંહીં પધાર્યા છીએ. ત્યારે તે મુકતે કહ્યું જે ‘આ ધામ તમારુંછે ને અમો પણ તમારા છઈએ; માટે તે સાધુને અહીં લાવીનેતમારી મૂર્તિનું સુખ આપો.’ એમ અક્ષરધામના મુકત બોલ્યા.ત્યાર પછી અમે અક્ષરધામમાંથી આંહીં આવ્યા અને સર્વસંતને કહ્યું જે, તમારે અર્થે અક્ષરધામ જોઇને આંહીં આવ્યાછઈએ; તે માટે આપણા પરમહંસ તથા સત્સંગી એ સર્વેને તોએમ નિશ્ચય કરવોઃ જે, આપણે તો એ અક્ષરરૂપ મુકતની પંકિતમાંભળવું છે ને અક્ષરધામમાં જઇને અખંડ ભગવાનની સેવામાં હજુરરહેવું છે, પણ નાશવંત ને તુચ્છ એવું જે માયિક સુખ તેને ઇચ્છવુંનથી; ને એમાં કોઇ ઠેકાણે લોભાવું નથી. એવો દઢ નિશ્ચય રાખીનેસર્વ અવતારના અવતારી ને અક્ષરધામના પતિ શ્રી પુરુષોત્તમભગવાન તે તમોને પ્રત્યક્ષ મળ્યા છે, માટે તે પુરુષોત્તમભગવાનની એકાંતિકી ભકિત નિરંતર કરવી.ત્યારપછી મુકતાનંદ સ્વામીએ પૂછ્યું જે, ‘હે મહારાજ !ભગવાનનું અક્ષરધામ કેવું છે ?’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યાજે,‘તે ભગવાનનું ધામ તો સનાતન છે, નિત્ય છે, અપ્રાકૃત છે ને સચ્ચિદાનંદરૂપ છે અને એ ભગવાનનું જેવું ધામ છેતેવું સ્થાનક અનંતકોટિ બ્રહ્માંડમાં કોઇ નથી, જે જેની ઉપમા એને દઇએ. તથા ઇન્દ્ર, વરુણ, કુબેર તથા શિવ, બ્રહ્મા, વૈરાટતથા પ્રધાનપુરુષ તથા પ્રકૃતિપુરુષાદિક તેમના જે સ્થાનક તથાબીજાં ઘણાક ભગવાનના સ્થાનક છે પણ એ માંહીલું એકે એવુંસ્થાનક નથી જે જેને ભગવાનના અક્ષરધામની ઉપમા દઇએ.અને એ ભગવાનના અક્ષરધામને વિષે રહ્યા એવા જેભગવાનના ભકત તેને જેવું સુખ છે, તેવું અનંતકોટિ બ્રહ્માંડમાંકોઇને સુખ છે જ નહિ, જે જેની એને ઉપમા દઇએ. ને એભગવાનનો જેવો આકાર છે તેવો અનંતકોટિ બ્રહ્માંડમાં કોઇનોઆકાર છે નહિ, જે જેની ઉપમા એને દઇએ. કેમ જે, પ્રકૃતિપુરુષથકી ઉત્પન્ન થયા જે આકાર તે સર્વે માયિક છે ને ભગવાનછે તે અમાયિક છે; ને દિવ્ય એવું જે પોતાનું અક્ષરધામ તેનેવિષે સદાય વિરાજમાન છે.તે અક્ષરધામને દષ્ટાંતે કરીને કહીએ છઈએ જે, જેમપર્વત, વૃક્ષ, પશુ, પક્ષી,મનુષ્યાદિક જે આકૃતિ તેણે સહિત એવીજે આ સમગ્ર પૃથ્વી તે બિલોરી કાચની હોય ને આકાશને વિષેજે સમગ્ર તારા છે તે સર્વે સૂર્ય હોય, પછી તેને તેજે કરીનેસમગ્ર આકૃતિએ સહિત બિલોરી કાચની પૃથ્વી જેવી પ્રકાશમાનથાય છે ને શોભે છે, તેવી શોભાએ યુકત અક્ષરધામ છે. એવુંજે ભગવાનનું અક્ષરધામ છે તેને ભગવાનના ભકત છે તેસમાધિને વિષે દેખે છે ને તે અક્ષરધામને વિષે સદાયભગવાનની મૂર્તિ બિરાજમાન છે. તે મૂર્તિનું જયારે સમાધિનેવિષે ભકતને દર્શન થાય છે, તે દર્શને કરીને એવું સુખ જણાયછે, જે મેં હજાર વર્ષ પર્યંત સમાધિને વિષે સુખ ભોગવ્યું છે.એવી રીતે ભગવાનના સ્વરૂપ સંબંધી સુખ તે સમાધિને વિષેઅપાર જણાય છે.ને વળી તે ભગવાનની મૂર્તિનું જે એક નિમેષમાત્રનું જેદર્શન તે ઉપર અનંતકોટિ બ્રહ્માંડના જે વિષય સુખ છે તે સર્વેનેવારી ફેરીને નાખી દઇએ; ને ભગવાનના એક રોમમાં જેટલુંસુખ રહ્યું છે તેટલું સુખ તો અનંતકોટિ બ્રહ્માંડનાં વિષય સુખભેળાં કરીએ તોપણ તેના કોટિમા ભાગની પણ બરોબર થાયનહિ, એવું અક્ષરધામને વિષે ભગવાનની મૂર્તિનું ભગવાનનાભકતને અખંડ સુખ આવે છે, ને વળી અષ્ટ આવરણ થકી પરજે અક્ષરધામ ને તે અક્ષરધામના અનંત તેજને લીન કરી નાંખેએવું એ પુરુષોત્તમના એક રોમનું તેજ છે; ને એ જે સાક્ષાત્કારપુરુષોત્તમ તેની હે પરમહંસો ! આજ તમને સર્વને સાક્ષાત્કારપ્રાપ્તિ થઇ છે. ને તમોને દેહત્યાગ કર્યા કેડે એ ધામને હુંમારા બળે કરીને સર્વેને પમાડીશ; પણ સાધને કરીને એ ધામપમાતું નથી.બીજું એ ધામને વિષે જે મુકત રહ્યા છે તેના દહે નો આકારકેવો છે ? તો આ બ્રહ્માંડને વિષે જે સ્ત્રી ને પુરુષ તેનો જે આકારછે, તેના બે લિંગથીવિજાતીયતે મુક્તનો આકાર છે, પણસ્ત્રીના જેવો કે પુરુષના જેવો આકાર નથી. એ બેય આકારે વર્જિતબ્રહ્મમયતનું મુક્તનો આકાર છે, ને તે મુકતને એક પુરુષોત્તમનાબે ચરણારવિદં ની ઉપાસના છે ને તે સાથે જ રમણ છે.બીજાં ધામોને વિષે તો ચાર ચરણારવિંદની ઉપાસના છે,ને તે સાથે રમણ છે, ને સ્ત્રી છે તે પોતાના પુરુષ સાથે પણરમણ કરે છે ને પુરુષોત્તમની જે મૂર્તિ છે તે સાથે પણ રમણકરે છે, ને જે પુરુષ છે તે પણ પોતાની સ્ત્રીનાં ચરણારવિંદનીસેવા તત્પર થઇને કરે છે, ને નવધા ભકિતએ કરીને પુરુષોત્તમનીસેવા પણ કરે છે. એવી જાતની જે ઉપાસના ને ભકિત તેઅક્ષરધામને વિષે નથી, બીજાં ધામોને વિષે છે. ને તે અક્ષરધામમારું છે. અને મુકત તે પણ જયાં લગી સ્ત્રીને સુખે કરીને યુકતવર્તે છે, ત્યાં લગી તે મુકતને પણ અક્ષરધામને વિષે પરમેશ્વરરાખતા નથી ને તે મુકતથી પણ અક્ષરધામને વિષે રહેવાતું નથી.પછી પરમહંસે પૂછ્યું જે,‘હે મહારાજ ! કેવા ભકત હોયતે કેવા ધામને પામે ?’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,‘અક્ષરરૂપપોતાના આત્માને માનીને પુરુષોત્તમ ભગવાનની મૂર્તિને અખંડતેલધારાની પેઠે સંભારતા હોય, એવા જે એકાંતિક ભકત તે તોઅક્ષરરૂપ થઇને પુરુષોત્તમ નારાયણની સેવામાં હજૂર રહે છે,ને તે ભકતને ભગવાન કેવું સુખ આપે છે ? તો જેવું ભગવાનનેપોતાની મૂર્તિનું સુખ છે, તેવું તે ભકતને પણ ભગવાન સુખઆપે છે. ને સાચી ઉપાસના ને એકાંતિક ધર્મ એ બે સંપૂર્ણહોય તો તે અક્ષરને પામે છે.એકાંતિક ધર્મને વિષે કસર હોય તો મૂળપુરુષને પામે છે;ને ઉપાસનામાં તથા નિર્વાસનિકપણામાં કસર હોય તોભગવાનના ગોલોકાદિક ધામને પામે છે; ને બહુ સવાસનિકહોય તો પ્રધાનપુરુષ તથા વૈરાટાદિકને પામે છે. અને ઉપાસનાને એકાંતિક ધર્મ એ બેમાં કસર હોય તો બ્રહ્માદિક જેવા થાયછે; ને ગુણબુદ્ધિવાળા હોય ને સાધુની સેવા-ચાકરી કરતા હોયતો ઇન્દ્ર જેવા થાય છે; ને થોડી સેવા-ચાકરી કરતા હોય તોદેવતા થાય છે; ને સંતનો ગુણ જ લે તો તેને જમપુરી આળસે.એવી રીતે સમજણમાં ભેદે કરીને પ્રાપ્તિમાં પણ બહુ જ ફેરરહે છે એવી રીતે શ્રીજીમહારાજે પરમહંસ આગળ પોતાનાપુરુષોત્તમપણાના મહિમાની બહુ પ્રકારની વાર્તા કરી. ।।૨૩।।