કારિયાણીમાં શ્રીજીમહારાજ સર્વ પરમહંસ સહિત સભાકરીને મંદિરમાં કૂવાના કાંઠા ઉપર બિરાજમાન હતા, પછી તેપરમહંસને શ્રીજીમહારાજે પોતાના સર્વોપરી ઐશ્વર્ય દેખાડ્યાં.ત્યારપછી પરમહંસ નોખા નોખા બોલ્યા, તેમાં કેટલાક સંત તેતો કહે જે,‘હે મહારાજ ! આ સભા લઇને અક્ષરધામમાં જાઉં.’અને વળી એક સંત કહે જે,‘હે મહારાજ ! મારે તો એક બ્રહ્માંડનીક્રિયા હસ્તામળ દેખાય છે.’ ત્યારે વ્યાપકાનંદ સ્વામી બોલ્યાજે,‘તમારે તો એક બ્રહ્માંડ દેખાય છે ને મારે તો અનંત આશ્ચર્યને અનંત ઐશ્વર્ય યુકત એવા જે અનંતકોટિ બ્રહ્માંડના ઇશ્વર તથાગોલોક ને વૈકુંઠાદિક ધામ તે હસ્તામળ દેખાય છે, એ તોરામકૃષ્ણાદિક સર્વે અવતારના અવતારી એવા જે આ શ્રીસહજાનંદ પ્રગટ પુરુષોત્તમની મૂર્તિના ધ્યાનનો પ્રતાપ છે.’ત્યારપછી સ્વરૂપાનંદસ્વામી બોલ્યા જે,‘અક્ષરધામના પતિજે આ પુરુષોત્તમ ભગવાન તે પોતાની દયાએ કરીને અગણિતજીવોનાં આત્યંતિક કલ્યાણ કરવાને અર્થે પોતાનું જે સમગ્ર ઐશ્વર્યઅને પોતાના સર્વે પાર્ષદ તથા પોતાનું જે અક્ષરધામ તથામહાપુરુષાદિક સર્વે ઇશ્વરકોટિ તથા ગોલોક, વૈકુંઠાદિક ધામનાપતિ તેણે સહિત આ પૃથ્વી ઉપર પધાર્યા છે, ને આ સર્વે છેતે આ પ્રગટ પુરુષોત્તમની સભામાં બેઠા છે તેને હું દેખું છું.એવો આ શ્રીજીમહારાજની મૂર્તિનો પ્રતાપ છે.’ એવી રીતેશ્રીજીમહારાજે પોતાની દષ્ટિમાત્રે કરીને પોતાનું ઐશ્વર્ય દેખાડીનેપછી પોતાને પ્રતાપે કરીને તે સર્વે સતં નું ઐશ્વર્ય તાણી લેતા હવા.ત્યારપછી શ્રીજીમહારાજે સંત પ્રત્યે કહ્યું જે, ‘અમોએતમારા સુખને અર્થે તમારું ઐશ્વર્ય ઢાંકી રાખ્યું છે, પણ જો જેવાતમે છો તેવું તમારું ઐશ્વર્ય દેખાડું તો બ્રહ્માંડ પણ ગણતીમાંઆવે નહિ, તો જીવની શી ગણતી !’ એવી રીતે શ્રીજીમહારાજપરમહંસને પોતાનું ઐશ્વર્ય દેખાડતા હવા. ।।૨૪।।