અમદાવાદમાં શ્રીનરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી, તે સમેશ્રીજીમહારાજે મુકતાનંદસ્વામી આદિક સંત આગળ એમ બોલ્યાજે,‘આ ભરતખંડના રાજા શ્રીનરનારાયણ છે તેમની પ્રતિમાનીપ્રતિષ્ઠા આપણે કરી, ને જે સાક્ષાત્ મૂર્તિમાન શ્રીનરનારાયણદેવ શ્રીબદરિકાશ્રમવાસી છે તથા વૈકુંઠવાસી શ્રીલક્ષ્મીનારાયણદેવ આદિક સર્વે તે પ્રગટ પુરુષોત્તમ દ્વિભુજ મૂર્તિ એવા જે આભગવાન તેમની ઉપાસના તથા સેવા કરે છે.’ એમ શ્રીજી-મહારાજે મર્મે કરીને પોતાના પુરુષોત્તમપણાની વાત કરી. તેવાત સાંભળીને જે એકાંતિક જ્ઞાનવાન સંત હતા તે એમ સમજયાજે, આ પ્રકટ પુરુષોત્તમ શ્રીજીમહારાજ તે જ સર્વ અવતારનાઅવતારી ને અક્ષરધામના પતિ પ્રગટ પુરુષોત્તમ છે. એમશ્રીજીમહારાજની મૂર્તિને વિષે નિશ્ચય કરતા હવા. ।।૨૫।।