વડતાલમાં શ્રીજીમહારાજે પરમહંસ આગળ પોતાનાપુરુષોત્તમપણાના મહિમાની વાત પાંચ છ દિવસ કરી ને પછીશ્રીજીમહારાજે સંતને કહ્યું જે,‘અમારી વાતનું રહસ્ય તો આનિત્યાનંદસ્વામી સમજે છે.’ પછી સર્વે સંતે કહ્યું જે,‘હેમહારાજ ! એ કેમ સમજે છે ?’ ત્યારે કહ્યું જે,‘તમે પૂછો.’ત્યારે સર્વે સંતે પૂછ્યું ત્યારે નિત્યાનંદસ્વામીએ કહ્યું જે,‘તમેપુરુષોત્તમ કહ્યા તે તો મહાપુરુષ છે, ને પુરુષોત્તમ તો અક્ષરથકી પર ને રામકૃષ્ણાદિક સર્વે અવતારના અવતારી ને સર્વકારણના કારણ આ પ્રત્યક્ષ પ્રમાણ શ્રીજીમહારાજ છે.’ ત્યારપછીસર્વે સંતે શ્રીજીમહારાજને કહ્યું જે, ‘હે મહારાજ ! તમારાસ્વરૂપનો સર્વોપરી નિશ્ચય થાય તેવી રીતે કૃપા કરીને કહો.’ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,‘જયાં પ્રગટ પુરુષોત્તમપણાનીવાત આવે છે, ત્યાં ત્યાં સર્વેની બુદ્ધિ ભ્રમાઇ જાય છે, પણસર્વ ઠેકાણે પ્રત્યક્ષ હરિકૃષ્ણ પુરુષોત્તમને લઇને બીજાને પુરુષોત્તમકહ્યા છે; તે પ્રત્યક્ષ હરિકૃષ્ણ પુરુષોત્તમને લીધા વિના તો અક્ષરનેપણ ભગવાન ન કહેવાય, તો બીજાની શી વાત કહેવી ? માટેએવા શબ્દ સાંભળીને મતિ ભ્રમાવા દેવી નહિ. ને પુરુષોત્તમતો રામકૃષ્ણાદિક સર્વ અવતારના અવતારી પ્રત્યક્ષ હરિકૃષ્ણ અમેછઈએ, એમાં કિંચિતમાત્ર સશંય નથી.’ એવી રીતે શ્રીજીમહારાજેપોતાના પુરુષોત્તમપણાની સંત આગળ વાત કરી. ।।૨૬।।