ધર્મપુરમાં કુશળકુંવરબાઇએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યું જે,‘અનિર્દેશથી લિખિતંગ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ એમતમોએ કાગળમાં લખ્યું હતું; તે અનિર્દેશ તે તમારું કયાં ગામછે ?’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘તમારો દેશ તે નિર્દેશ છે ને આ તમારું શહેર છે તે અનિર્દેશ છે; ને આ તમારું શહેરછે તે નિર્દેશ છે ને તમારો દરબારગઢ તે અનિર્દેશ છે; ને તમારોરાજગઢ તે નિર્દેશ છે ને તમારો રહેવાનો જે મહોલ તે અનિર્દેશછે. તેમ આ પૃથ્વી નિર્દેશ છે ને જળ તે અનિર્દેશ છે; ને જળનિર્દેશ છે ને તેજ અનિર્દેશ છે; ને તે તેજ નિર્દેશ છે ને વાયુઅનિર્દેશ છે; ને તે વાયુ નિર્દેશ છે ને આકાશ અનિર્દેશ છે;ને તે આકાશ નિર્દેશ છે ને અહંકાર અનિર્દેશ છે; ને અહંકારનિર્દેશ છે ને મહત્તત્ત્વ છે તે અનિર્દેશ છે; ને તે મહત્તત્ત્વ નિર્દેશછે ને પ્રધાનપુરુષ અનિર્દેશ છે; ને તે પ્રધાનપુરુષ નિર્દેશ છેને પ્રકૃતિપુરુષ છે તે અનિર્દેશ છે; ને પ્રકૃતિપુરુષ નિર્દેશ છેને તે થકી પર અક્ષરરૂપી જે અમારો બ્રહ્મમહોલ તે અનિર્દેશ છે. ને અમે ત્યાં મુકતે સહિત અખંડ રહીએ છઈએ; ને અમેઆંહીં બેઠા છઈએ, તોપણ ત્યાંજ બેઠા છઈએ; અને ત્યાંજ બેઠાછઈએ, તોપણ આંહીં બેઠા છઈએ; ને તે મૂર્તિ ને આ મૂર્તિ તેએક જ છે. તે માટે અમે ત્યાં રહીને પણ કાગળ લખીએ છઈએ,ને ત્યાં બ્રહ્મમહોલમાં રહ્યા થકા જે ભકતને દર્શન દેવું ઘટે તેનેદર્શન દઇએ છઈએ; જે ભકત સાથે બોલવું ઘટે તે સાથે બોલીએછઈએ; પણ અમે નિરંતર અક્ષરધામરૂપી તખ્તમાં રહ્યા છઈએ.’એવી રીતે કુશળકુંવરબાઇને મહારાજે પોતાના મહિમાની વાતકરી. ।।૨૭।।