વરતાલમાં સત્સંગિજીવન લખવાનો આરંભ કર્યો તેમાંઉપાસનાનો પ્રસંગ નિકળ્યો. તેમાં સંતને સાત-આઠ દિવસ સુધીવાદવિવાદ થયો. પછી તેમાં કેટલાક સંત કહે જે,‘શ્રીકૃષ્ણ જેવામહારાજને કહો.’ ત્યારે નિત્યાનંદસ્વામીએ કહ્યું જે,”બીજાઅવતાર જેવા મહારાજને કેમ કહેવાય ? ને બીજા અવતારે કયારેપોતાને વિષે ચોવીસ અવતાર લીન કર્યા છે ? ને મહારાજે તોચોવીસ અવતાર તથા ભૂમાપુરુષાદિક અનંતને પોતાને વિષેલીન કરી દેખાડ્યા તથા સર્વેને પોતાની પૂજા કરતા દેખાડ્યાને શ્રીજીએ તો પોતાના સ્વરૂપનો સર્વોપરી નિશ્ચય કરાવવાસારુ વ્યાપકાનંદસ્વામી દેખતાં પોતાને વિષે ચોવીસ અવતારલીન કરાવી દીધા. તથા પર્વતભાઇને સાંતી હાંકતાં પોતાનીમૂર્તિને વિષે ચોવીસ અવતાર લીન થાતા દેખાડ્યા.વળી શ્રીજીમહારાજ માંગરોળ આદિક જે જે ગામ પધાર્યાત્યારે જે જે અવતારના ઉપાસક હતા, તે શ્રીજીમહારાજને દર્શનેઆવતા; ને તે સર્વેને ધ્યાનમાં બેસારીને પોતપોતાનાંઇષ્ટદેવનાં દર્શન કરાવતા હતા. અને તે તે પોતાના ઇષ્ટદેવતે પોતપોતાના ભકતને કહેતા હતા જે,‘આ સહજાનંદસ્વામીતો સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ છે ને અમે તોએમના દાસ છઈએ.’ એવી રીતે અનંત ઐશ્વર્ય જણાવ્યાં. એઆદિક અનંત આશ્ચર્યકારી ચમત્કાર દેખાડ્યા, એવા જેઅક્ષરાતીત શ્રીસહજાનંદસ્વામી તે તો રામકૃષ્ણાદિક સર્વેઅવતારના અવતારી છે. તેમને બીજા અવતાર જેવા કેમકહેવાય ? ને બીજા અવતાર જેવા મહારાજને કહીએ તો અનંતમહા અદ્ભુત શ્રીજીમહારાજનાં ઐશ્વર્ય ખોટાં પડે.”ત્યારપછી શ્રીજીમહારાજ બોલ્યા જે,‘એ ઠીક કહે છે નેઠીક સમજે છે ને જે ઉપાસક હોય, તે તો આવા જ હોય નેતમે સર્વે અમ ભેગા ફરી ગયા , પણ અમે તો કેમ કહેતા હશુંને કેમ જાણતા હશું !’ એમ કહીને એ સાધુને રાજી થઇનેહાર આપ્યો.પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,‘આ બ્રહ્માંડના આવરણપાર ને ચિદાકાશ પર્યંત અવતાર ને અનંત અવતારના સ્થાનકને અનંત મુકત તે કોઇ અક્ષરધામને પામતા નથી. ને જેને આપ્રગટ પુરુષોત્તમ નારાયણનો સંબંધ થાય છે તે જ અક્ષરધામનેપામે છે, ને બીજા પુરુષ તો કોટિ સાધન કરે તોપણ પામે નહિ.’એવી રીતે શ્રીજીમહારાજે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા સર્વેસંત આગળ કરી. ।।૨૮।।