શ્રીજીમહારાજે સંતદાસજીને દલુજી પાસે મોકલ્યા. પછીદલુજીએ શ્રીજીમહારાજના પ્રતાપના સમાચાર પૂછ્યા, ને વળીએમ બોલ્યા જે,‘શ્રીજીમહારાજનો અવતાર કેવો જાણવો ? નેત્યાં જીવોનાં કલ્યાણ કેવા કરે છે ?’ ત્યારે સંતદાસજીએ કહ્યુંજે,”આ અવતાર નહીં, આ તો રામકૃષ્ણાદિક સર્વ અવતારનાઅવતારી ને સર્વ કારણના કારણ પ્રગટ હરિકૃષ્ણ પુરુષોત્તમ છે.તે અક્ષરધામ થકી જીવોનાં આત્યંતિક કલ્યાણ કરવાને અર્થે દયાકરીને પધાર્યા છે. ને આ તો સર્વોપરી મૂર્તિ છે, તે માટે જીવોનાંસર્વોપરી કલ્યાણ કરે છે. ને શ્રીજીમહારાજ તો કોઇ દિવસ આબ્રહ્માંડમાં પધાર્યા નથી ને પધારશે પણ નહિ; ને એવા તો એએક જ છે. ને હું પણ વૈકુંઠ તથા બદરિકાશ્રમ તથા શ્વેતદ્વીપાદિકધામ પ્રત્યે જાઉં છું, ત્યારે તે સર્વ ધામના પતિ એમ કહે છેજે, ‘સહજાનંદસ્વામી પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ તો અક્ષરધામનાપતિ ને સર્વ અવતારના અવતારી છે, તે જ આ દયા કરીનેજીવોનાં કલ્યાણ કરવાને અર્થે પૃથ્વી ઉપર પધાર્યા છે, તે માટેજીવોનાં સર્વોપરી કલ્યાણ કરે છે.’ એમ એ સર્વે ધામના વાસીકહે છે.”ત્યારપછી સંતદાસજીએ દલુજીને કહ્યું જે,‘તમે શ્રીજી-મહારાજનો અવતાર કેવો જાણો છો ?’ ત્યારે દલુજી બોલ્યાજે,‘શ્રીજી મહારાજ તો સર્વ અવતારના અવતારી ને અક્ષરધામ,કાળ, માયા, પુરુષ ને, વાસુદેવાદિક ચતુર્વ્યૂહ તથા કેશવાદિકચોવીસ મૂર્તિઓ એ સર્વેના કારણ પુરુષોત્તમ છે, હું પણશ્રીજીમહારાજની કૃપા થકી જાણું છું.’ એવી રીતે શ્રીજી-મહારાજનો મહિમા એ બેઉ જણાએ પરસ્પર ઘણોક કહ્યો. ।।૨૯।।