આવી રીતે શ્રીપુરુષોત્તમ ભગવાન તેમણે અગણિત જીવોનુંકલ્યાણ કરવાને અર્થે પોતાનું જે સમગ્ર ઐશ્વર્ય, પ્રતાપ તે સર્વેજીવને સહેજમાં દેખાડતા હતા, તે ઐશ્વર્ય પ્રતાપ સદ્ગુરુ શ્રીગુણાતીતાનંદ સ્વામીએ પોતે દીઠેલું તેમાંથી આ તો સંક્ષેપમાત્ર લખાવેલ છે. ।।૩૮।।
ઈતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય ગુણાતીતાનંદસ્વામીએકરેલી વાતોમાં પુરુષોત્તમ ભગવાનનું ઐશ્વર્ય તથા પ્રતાપબતાવ્યાં તે નામે ચોથું પ્રકરણ સમાપ્ત.