આ જીવને મૂઆ સુધી પણ આ લોકના મનસૂબા છે, પણ તે મૂકવા ને પરલોકના કરવા. ને આત્મા ને પરમાત્મા એ બે વાત મુખ્ય રાખવી, એમ મહારાજનો મત છે. પણ એ વાતની પુષ્ટિના શબ્દ બહુ થોડા આવે ને ત્યાગના, ભકિતના અને ધર્મના એ આદિકના હજાર શબ્દ આવે, તેથી પણ એ માર્ગે ચલાતું નથી. પણ સિદ્ધાંત તો એ જ કરવાનું મહારાજ કહે છે. ।।૧૦૫।।