અને કુરૂપવાન સ્ત્રીમાં મન તણાય નહિ ને રૂપવાન સ્ત્રીમાં મન તણાય છે, એવો જીવનો સ્વભાવ છે ને માલ તો એ બેયમાં એક જ છે, પણ તેમાં રૂપવાન સ્ત્રી જેવી બધંનકારી છે તેવી કુરૂપવાન સ્ત્રી બધં નકારી નથી, તમે જ સારું ઘોડું તેમાં દુ:ખ છે એવું ઊતરતામાં નથી, કમે જે, પડીએ તો થોડું વાગે ને બાજરો, ખડ પણ થોડા જોઇએ ને તેનું ઝાઝું રક્ષણ પણ કરવું ન પડે. તમે જ સારું ખાવામાં, સારાં લગૂ ડામાં એ આદિક અનેક વિષય છે, ને સર્વેમાં જેવું સારામાં બંધન છે એવું ઊતરતામાં નથી, પણ જીવને જયાં સુધી રાગ છે ને જ્ઞાનની કસર હોય ત્યાં સુધી આ વાત સમજાય નહિ ને પદાર્થનો વિચાર આદ્ય-અત્ં યનો કરવો, પણ મધ્યમાં ન જોવું. મધ્યમાં તો મોહ રહ્યો છે, એ અજ્ઞાન છે. ।।૧૦૭।।