મહારાજે તેરાગામથી કાગળ લખાવ્યો જે, “વરસ દહાડામાં એક મહિનો સર્વે સાધુ-સત્સંગીને મુકતાનંદસ્વામીની વાતો સાંભળવી ને બાઇઓ સૌને મોટી ડોસીઓની વાતો સાંભળવી. ને જે એમ નહિ કરે તેને વિઘ્ન થાશે. ને સંસારનું બંધન થાશે.” તે શું ? પણ તે કરતાં અનંતગણું બંધન કાપીને સર્વનિવાસાનંદ સ્વામીએ મોટાનો સમાગમ કર્યો. ।।૧૧૦।।