મુમુક્ષુ છે તે નેત્રને ઠેકાણે છે ને સમાગમ છે તે સૂર્યને  ઠેકાણે છે.તે સૂર્ય હોય તો નેત્રે દેખાય, ને ગમે એવા સંસ્કાર હોય તોપણ સમાગમ વિના ટળી જાય, ને સમાગમ હોય તો સંસ્કાર ન હોય તોપણ થાય. માટે ક્રિયમાણ  બળવાન છે. ।।૧૧૨।।