અને મહારાજ કહેતા જે, “હરિભકત કોઇ રીતે સુખિયા થાતા નથી; તે જો રૂપિયા આપીએ તો દર્શન કરવા નવરા થાતા નથી ને ગરીબ રાખીએ તો કહેશે જે ભાતું ન મળે, શું દર્શને જઇએ ? માટે બેય વાતે જીવ ભગવાનને ભજતા નથી. તે સારુ ચાર ઉપાય કરીએ છીએ. તે ‘સામ’ જે વાતું કરીએ છીએ ને ‘દામ’ જે ભગવાન આપીએ છીએ, ને ‘ભેદ’ જે સર્વે ખોટું કહીએ છીએ, ને ‘દંડ’ જે જમપુરીનાં દુઃખ દેખાડીએ છઈએ, એમ કરીએ છીએ” ।।૧૧૯।।