અને કારખાનાં કરવાની રીતિ મહારાજે કહેલ જેઃ “સાવજ હોય તે દિવસમાં ત્રણ તલપ નાખે ને તેમાં આહાર મળે તે ખાય, ને નારડા(વરુ) છે તે તો આખો દિવસ દોડતાં ફરે.” તેમ કારખાનું કરવું તે સાવજની પેઠે એક મહિનો કરવું ને પછી પાછું છ મહિને કે વર્ષે દહાડે બીજું કરવું પણ નારડાની પેઠે નિરંતર બારે માસ ન કરવું. એમ કહ્યું હતું. ।।૧૨૨।।