પૂર્વે એક સદ્ગુરુ પાસે એક મુમુક્ષુ દ્રવ્ય લઇને ગયો ને પૂછ્યું જે, ‘આ દ્રવ્યનું કેમ કરવું છે ?’ ત્યારે તે ગુરુ કહે જે, જો દ્રવ્ય તું રાખે કે હું રાખું કે કોઇને આપીએ તો તે સર્વેનું  ભૂંડું કરે એવું છે,’ એમ કહીને ગંગામાં નંખાવ્યું. ।।૧૨૭।।