મહારાજની મરજીથી જે અવળાઇ કરે તેને આખા બ્રહ્માંડની ઉપાધિમાં જોડે ને વધારે વાંકો ચાલે તો તેને અનંત બ્રહ્માંડની ઉપાધિમાં જોડશે, પછી તેમાં હેત થાશે, ને ત્યાં તો આજ્ઞા કરે તો કોઇનો ભાર નહિ જે ના પાડી શકે. તે જેમ રાજાનો હુકમ વસ્તીથી ફેરવાય નહિ તેમ છે; ને આંહીં તો મનુષ્યભાવ રહે, તેથી મનાય નહિ. ।।૧૩૭।।