અને ચૈતન્યાનંદસ્વામી કેવા મોટા ? તેને પણ બાળમુકુંદાનંદ સ્વામી મળ્યા ત્યારે જ સર્વે ખોટ દેખાણી ને પછી મૂકી. તે એવાને પણ રહી જાય તો બીજાને રહે એમાં શું ? માટે મોટા પુરુષનો મન, કર્મ, વચને સમાગમ થયા વિના ખોટ્ય દેખાય નહિ ને ટળે પણ નહિ, એ સિદ્ધાંત વાર્તા છે. ને ચૈતન્યાનંદ સ્વામીની પેઠે અક્ષરાનંદસ્વામી તથા સર્વનિવાસનંદસ્વામીની પણ વાત છે. ।।૧૪૨।।