અને પરલોકમાં જાવું છે એવો તો કોઇ મનસૂબો કરતા જ નથી, પણ આંહીં તો નહિ જ રહેવાય ને આ લોકમાં તો જાણીએ આવ્યા જ નથી એવું કરી નાખવું ને છેલ્લો જન્મ કરી નાખવો. તે છેલ્લો જન્મ તે શું ? જે,‘કયાંયે વાસના રહેવા દેવી નહિ. ને આ લોકની સ્થિતિ બાંધવાનું તાન છે, પણ એ તો નહિ રહે ને ગમે એટલાં કામ કરશું તોપણ સર્વે એક દિવસ મૂકીને સ્વભાવ પણ મૂકવા છે ને સાધુ થાવું છે, તે સારુ કથા, વાર્તા, સ્મૃતિ કરવી, ગુણ ઓળખવા એ કરવાનું છે.’ ।।૧૮૯।।