શ્રીજીમહારાજે અનેક પ્રકરણ ફેરવીને સાધુને વર્તાવ્યા ને અનેક પ્રકરણ ફેરવીને પ્રવર્તાવ્યાં, તેનો વિચાર કરવો ને તેમાંથી મુમુક્ષુને કેટલુંક ગ્રહણ કરવાનું છે. તે ધ્યાન કરવાના પ્રકરણમાં, ધૂન્ય કરવામાં ને કીર્તનમાં થાકવું નહિ. ને મનને ગમતું ન કરવું ને ન ખાવું એ બહુ આકરું કહેવાય. ને ક્રોધનું ખંડન, દંડવત્ કરવા ને ગાડે ન બેસવું એ આદિક પંચવિષયનું ખંડન ને અનેક પ્રકારે ધર્માદિક ગુણનું પ્રતિપાદન, એ સર્વેનો તપાસ કરવો, ને ઉત્થાન ઓળખવાનું પ્રકરણ એ સર્વે પ્રકરણનો વિચાર કરીને વર્તવું. ।।૧૫૬।।