અને સત્સંગમાંથી પડાય નહિ તે વાત શ્રીજીમહારાજે કહી હતી જે, સર્વે સાધુ સત્સંગીની સાથે જીવ બાંધે તો ન પડે, એમ કહીને પછી તો ‘ઓછા ઓછા’ કહેતાં છેલ્લી વારે કહે જે, ‘બે સારા સાધુ તથા ચાર સારા સત્સંગી સાથે જીવ બાંધ્યો હોય તો ન પડે ને તે વિના તો દેશકાળે પડે ખરો.’ ।।૧૫૭।।