આપણે તો બહુ મોટો લાભ થયો છે, ને બહુ મોટી પ્રાપ્તિ થઇ છે પણ આપણને સમજાતું નથી, તે જેમ પૃથ્વીનો રાજા હોય તેનો છોકરો અલ્પ પદાર્થ સારુ રુવે તેમજ આપણને  મહારાજનો ને મોટા સંતનો સંબંધ થયો છે પણ આ લોકના અલ્પ પદાર્થ ન મળે કે નાશ પામે તેનો શોક થાય કે તે સારુ દિલગીર થવાય, તેને આ વાત સમજાતી નથી. ।।૧૫૯।।