ભગવાનની મૂર્તિ, ભગવાનના સાધુ ને ભગવાનની આજ્ઞા એ ત્રણ વાતમાં જ માલ છે એવો બીજી કોઇ વાતમાં માલ નથી. ને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ તે તો જેમ કોદાળી, પાવડા ને દાતરડાં તેને ઠેકાણે છે, મોટાની તો એમ સમજણ છે. ને અમે તો એક ભગવાન રાખ્યા છે ને બીજું રાખ્યું નથી. ।।૧૯૦।।