અને અંતરદષ્ટિ કરીને હૈયામાં જોવું ને તે વિના તો ગુણદોષ યથાર્થ ન સૂઝે. ને અંતરદષ્ટિ કરવી એજ નિર્ગુણપણું છે ને બાહ્યદષ્ટિમાં સગુણપણું છે. વળી બાહ્યદષ્ટિ દૈત્યની કહી છે ને અંતરદષ્ટિ રાખવાનો અભ્યાસ કરતાં સુખ પણ થાય ને જેમ ચકમક ખરે તે ખેરતાં દેવતા કળીમાં લાગી જાય છે, એમ કોઇક દિવસ પ્રકાશ થઇ જાય, એ સિદ્ધાંત વાત છે. ।।૧૬૯।।