અને ભગવાનનું સ્વરૂ૫ નિર્દોષ સમજવું ને મોટા મોટા એકાંતિક સાધુને પણ એમ સમજવા, તે બરોબર કોઇ સાધન નથી. તે વચનામૃતમાં કહ્યું છે એમ ચાર શાસ્ત્રે કરીને સમજવું. તથા સ્વરૂપનિર્ણયમાં  કહ્યું છે એમ સર્વ પ્રકારે નિર્બંધપણે ને નિર્દોષણે સમજવું. તે આત્યંતિકપ્રલય જે જ્ઞાનપ્રલય કરવાનો છે ત્યાં સુધી સમજવાનું છે. તે જેને આત્યંતિકપ્રલય  થયો હોય તે સાથે જોડાય ત્યારે તેથી થાય. ।।૧૭૨।।