એક દિવસ સ્વામીએ વાત કરી જે, સર્વ સાધન કરતાં સંગ બળવાન છે. કેમ જે સંગ થકી જ સર્વ વાત થાય છે; પણ સંગ વિના તો કોઇ કામ થાતું નથી; માટે સર્વમાં પ્રથમ સંગ મુખ્ય છે. ને મોક્ષનો માર્ગ પણ સંગ થકી સમજાય છે ને વ્યવહારમાર્ગ પણ સંગ થકી જ સમજાય છે અને આવડે છે. માટે સંગની બરોબર કોઇ સાધન નથી. ને દેશકાળાદિક આઠ કહેવાય છે, તેમાં પણ સંગને મુખ્ય કહે છે તથા નવ પ્રકારની ભકિતમાં પણ શ્રવણ ભકિતને મુખ્ય કહી છે, તે પણ સંગ થકી આવે છે. ને શિક્ષાપત્રીમાં પણ ‘નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો’ એમ કહ્યું છે. વચનામૃતમાં પણ સંગનું અધિકપણું બહુ ઠેકાણે કહ્યું છે. માટે સર્વ શાસ્ત્ર તે સત્પુરુષનો સંગ કરવાનું પ્રતિપાદન કરે છે. તે સંગ કરવો તેમાં પણ જેવા પુરુષનો સંગ થાય તે થકી તેવો સમાસ થાય છે; ને સર્વદેશી પુરુષનો સંગ થાય તો તે થકી સર્વદેશી જ્ઞાન પ્રાપ્ત થાય છે ને એકદેશી સગં થકી સર્વ પ્રકારનું જ્ઞાન પમાય નહિ. કમે જે, ધમર્, જ્ઞાન, વૈરાગ્ય, ભકિત, મહિમા આદિકમાથીં જેને જે અંગ મુખ્ય હોય તેના સગં થકી તે વાત સમજાય અને સર્વે અંગે સંપૂર્ણ હોય તેના સગં થી સર્વે વાત સમજાય છે. માટે સર્વદેશી સંગ મળવો બહુ દલુર્ ભ છ.ે ને સગં કરવો તેમાં ગુરુની શુદ્ધિ ત્રણ પ્રકારની જોવી. તેની વિકિત જે, એક તો તેનું પડં નું વતર્ન હોય તેનો તપાસ કરવો. બીજું તેણે જેને સેવ્યાં હોય તેનું સામર્થ્ય જોવું ને ત્રીજું તેના સંગ થકી જે થયા હોય તેને જાણવા, એમ તપાસ કરવો. ।।૧।।