અને ક્રિયાનું પ્રધાનપણું થઇ ગયું છે તેથી જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, મહિમા અને ઉપાસના તેની વાત કરે છે કોણ ? ને સાંભળે છે કોણ ? પણ કથાવાર્તા કરતાં કરતાં થાય તે કરવું ને તે કરતાં થયું તે થયું ને બાકી ન થાય તે રહ્યું; પણ મુખ્ય તો એ જ કરવું ને બાકી તો ફેર ચડી જાય છે ને આ તો ગમે એટલું કરો પણ રાત્રિપ્રલયમાં સર્વનાશ પામી જાશે. ।।૧૭૪।।