અને ચાર વાતમાં સુખ છે. તેમાં એક સુખ તો ભગવાનની મૂર્તિની સ્મૃતિ, બીજું સાધુનો સમાગમ ને ત્રીજું સદ્વિચાર એ ત્રણ વાતમાં જ છે. ને ચોથું જીવે વિષયનું સુખ માન્યું છે એ તો દુઃખરૂપ છે; ને સુખ તો ત્રણ વાતમાં જ છે, ને વિષયમાં સુખ છે એવી તો કોઇ મોટાએ કલમ મૂકી જ નથી; ને આત્મારૂપે વર્તવું એ તો દેશ જ નોખો છે.તેમાં કામાદિક દોષ જ નથી, જમે ગુજરાત દેશ માં પૃથ્વી ખોદે તેમાં પાણો જ ન મળે તેમ . ।।૬।।