સારા ભગવદી સાથે જીવ બાંધવો એ જ સત્સંગમાં રહ્યાનો હેતુ છે, પણ એકલી ભકિત સત્સંગમાં રહ્યાનો હેતુ નથી. ને જ્ઞાન વિના તો સર્વે કાચું છે. ને સારા ભગવદી સાથે જીવ બાંધ્યો હતો તો કરસનદાસ ને મહાવીર્યાનંદને સત્સંગમાં રાખ્યા ને તે વિના તો રાશ્વરાનંદ ને હિરણ્યગર્ભાનંદ ગયા ને હમીરે પણ ઘણીક ભકિત કરી હતી તોપણ ગયો ! એ વાતો વિસ્તારે કરીને કહી. ।।૮।।