ઇન્દ્રિયારામ અને અર્થારામની જોડે આસન કરે તો ગમે તેવો હોય તેનું પણ ઠેકાણું ન રહે. અને વૈરાગ્યનું તો છેટું છે; કેમ જે, વિષયમાં રાગ છે ને આત્મજ્ઞાનનું પણ છેટું છે. કેમ જે, જીવ દેહમાં જડાઇ ગયો છે. માટે હવે તો એક ધર્મને વિષે ને બીજી ભગવાનના સ્વરૂપને વિષે નિષ્ઠા, એ બે વાત મુખ્ય રાખવી. ।।૧૩।।