શ્રીજીમહારાજ ગમે એટલી પ્રવૃત્તિ કરાવતા તોપણ એક પડખે પુસ્તક નિરંતર રાખતા ને હરે ! હરે ! કરતા, તે આપણને શીખવતા. અને શ્રીજીમહારાજે કહ્યું હતું જે, “કેટલાક મોટા મોટાને તો પ્રવૃત્તિમાં ન ભળવું; કેમ જે, પૂર્વે ઋષિ પ્રવૃત્તિમાં ભળ્યા તે આહ્નિક ભૂલી ગયા હતા. પછી વળી કોઇક વૃદ્ધ પાસેથી શીખ્યા ને તે પછી શાસ્ત્ર કર્યા.” ।।૧૬।।