અને ભગવાનના ભકતનો અવગુણ આવે ત્યારે તેમાં ગુણ હોય તે વિચારવા, તો તે અવગુણ ટળી જાય; જેમ પાંચ લડવા આવ્યા હોય તે સામા પચાસ આવે તો તેને હઠાવી દે; તેમ ગુણ તો ઘણાયે હોય તે વિચારવા, તો દોષ થોડા હોય તે ટળી જાય; ને જો દોષ ઝાઝા હોય તો સત્સંગમાં રહેવાય નહિ. ને જીવને બળ પામવાનો હેતુ તો સત્સંગ જ છે. તે જેમ રખાય તેમ બળિયો થાય. તેમાં એક તો આ બધાયે મંદિર કરે ને સત્સંગમાં ન રહે, ને એકે તો એક ઇંટ પણ ન લીધી હોય ને સત્સંગમાં રહે એમ સમજણમાં રહ્યું છે. ને ઊતરતાને સંગે ઊતરતો ઊતરતો ઊતરી જાય, જેમ બ્રાહ્મણ હતો તે ઢેઢડી  સારુ  ઢેઢ થઇ ગયો તેમ થાય. ।।૧૮।।