અને “બકરાં, ગાયો, ભેંસો ને ઊંટ એ સર્વે વાડામાં રહે પણ વાઘ હોય તે વાડામાં પૂરાય નહિ, તેમ મુમુક્ષુ હોય તે કોઇ મતમાં કે વિષયમાં બંધાઇ રહે નહિ.” એમ મહારાજ કહેતા. ને શ્રીજીમહારાજ વિરાજતા ત્યારે પણ જેણે સમાગમ કર્યો નથી ને આજ પણ જે મોટા સંતનો સમાગમ નથી કરતા, તેને શું વધુ બુદ્ધિવાળા સમજવા ? માટે બુદ્ધિ તો એટલી જ જે, મોટા સાધુથી શીખે ને મોક્ષના કામમાં આવે, બાકી બુદ્ધિ નહિ. ને મહારાજ કહેતા જે, ‘નાથભકત  બુદ્ધિવાળા છે ને દીવાનજી  મૂર્ખ છે. ને વ્યવહાર છે તે તો તાજખાના જેવો છે, તે તો સુધર્યો તોપણ બગડેલો જ છે, તેમાં કાંઇ સાર નથી.’ તે ઉપર સુરતના ખાડાનું  દષ્ટાંત દીધું. ।।૨૩।।