સર્વ ક્રિયા કરવામાં નાશવંતપણાનું અનુસંધાન રાખવું તો દુઃખ ન થાય; ને સત્પુરુષનો રાજીપો જેવો સત્સંગે કરીને થાય છે એવો પદાર્થે કરીને થાતો નથી. ને જે એક ચેલામાં બંધાય તે પાંચ-દશમાં કેમ ન બંધાય ? ને જે ઘણા માણસમાં પણ ન બંધાય એ તો અતિ સમર્થની વાત છે. ।।૨૪।।