અને સત્સંગ કરવામાં ને સમજણમાં ઘણી કસર રહી જાય છે; કેમ જે, શ્રીજીમહારાજ બિરાજતા ત્યારે દર્શન થાતા હોય એટલી વાર દસ-વીસ સાધુ તો ઘડી છેટે જાતા નહિ, ને ગમે એટલો થાક લાગ્યો હોય, પણ રાતે દર્શન થાતાં હોય તો આખી રાત દર્શન કરતા, ને કેટલાક સુખે સૂઇ રહેતા; એમ સમજણમાં ઘણાં ભેદ છે. ।।૩૬।।