અને સમાગમ કરવાની રીત કહી જે, ‘પ્રથમ તો એકાંતિક સાથે જીવ જોડવો. પછી એ સાધુ તો ભગવાનમાં રહેતા હોય તે ભગવાનના ગુણ સાધુમાં આવે ને તે સાધુના ગુણ તે સમાગમ કરનારામાં આવે, પણ જીવ સારી પેઠે જોડે નહિ તો તેના ગુણ આવે નહિ અને એ વાત આજ કરો કે ગમે તો હજાર જન્મે કરો પણ અંતે એમ કર્યા વિના છૂટકો નથી.’ ।।૪૧।।