અને સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે ને મનધાર્યુ કરવું તે કનિષ્ઠ છે. મનગમતું કરતો હોય ને તે ત્યાગ રાખતો હોય ને આખા મંદિરનું કામ એકલો કરતો હોય ને ગમે એટલા માણસને સત્સંગ કરાવતો હોય, તોપણ તે ન્યૂન છે, ને તેને કોઇક દિવસ વિઘ્ન છે. અને જે ત્રણ ટાણાં ખાતો હોય ને આળસુ હોય ને ઊંઘતો હોય એવી રીતના દોષે યુકત હોય, પણ જો તે પોતાનું મનગમતું મૂકીને સંત કહે તેમ કરે તો તે અધિક છે. ને સંત કહે એમ કરવું એ નિર્ગુણ છે ને મનગમતું કરવું એ સગુણ છે. ને આ ત્યાગી બેઠા છે તેમાં પણ અર્ધા તો મનગમતું કરતા હશે ને ગૃહસ્થ પણ કેટલાક મનનું ધાર્યુ કરે છે, ને જેનું દસ જણ પ્રમાણ કરે તે ખરો કહેવાય, ને એકનું કહ્યું પ્રમાણ નહિ. ।।૫૭।।