આપણે શ્રીજીમહારાજની કોઇ આજ્ઞા તરત રાજી થઇને માની નથી. કેમ જે આપણને સૂઝે નહિ ને બુદ્ધિ પણ પહોંચે નહિ, ને મહારાજને તો પૂર્વાપર સૂઝતું હોય, તે શી આજ્ઞા ? જે રાંધેલું અન્ન મોર્ય માગવાનું કહ્યું તે કોઇએ માન્યું જ નહિ, તે પ્રથમ પોતે માગીને પછી મનાવ્યું; ને મંદિર કરવાનું કહ્યું તે કોઇ હા પાડે જ નહિ; પછી ભણવાનું કહ્યું તે કોઇ માનતા નહિ; ને પત્તર રાખવાનું કહ્યું તે પણ માને નહિ, એ આદિક સર્વે વચન પરાણે ઘણો ઘણો આગ્રહ કરીને મનાવ્યાં. તે મહારાજને ને મોટા સાધુને તો પૂર્વાપર સૂઝે, પણ તે જીવને મનાય નહિ. ને વચન માનવાં ને ન માનવા તેમાં પણ વિવેક રાખવો. તેમાં નારાયણદાસની વાત કરી જે, ત્યાગ રાખતો તેમાં ખાવાનું કહ્યું ત્યારે ખાવા માંડ્યું, તેમાં વિચાર નહિ; ને પછી તેમાં સંકોચ કરવાનું કહ્યું ત્યારે અન્ન મૂકી દીધું. વળી જોડા પહેરતો નહિ તે પહેરવાનું કહ્યું તે જોડા પહેર્યા ત્યારે પગમાં કઠીને લોહી નીસયુર્ં પણ કાઢે નહિ, એ માટે એમ ન કરવું ને વિવેક રાખવો. ।।૬૩।।