ત્રણ પ્રકારના મનુષ્ય સત્સંગમાં છે. તેની વિકિત જે, જ્ઞાન શીખે છે ને સેવા કરે છે તે વધતા જાય છે; ને દેહાભિમાન વધારે છે તે ઘટતા જાય છે, ને કેટલાક તો બરોબર રહે છે ને વધતા ઘટતા નથી. એ ત્રણ પ્રકારના છે, તેને મોટા સાધુ દેખે છે, અને દેહમાં બળ વધે તે ભગવાન તથા સંતને ગમે નહિ ને મુમુક્ષુને પણ તે જોઇને દાઝ થાય. ।।૬૫।।