ભગવાનને તો આ લોક કાંઇ ગણતીમાં જ નથી. એ તો સર્વે ધૂળનું જ છે. તેમાં કોઇક પદાર્થ આવ્યું કે ગયું, કોઇક વાત સુધરી કે બગડી, કે કોઇક કામ થયું કે ન થયું, એની કાંઇ પણ ગણતી નથી. એ તો આપણને માલ મનાય છે, પણ જે ડાહ્યો હોય તેને જેમ ધૂળમાં માલ મનાતો નથી; તેમ ભગવાનની દષ્ટિએ તો આ લોક-ભોગ સર્વે ધૂળ જ છે ને મોટા સંતની પણ એવી જ સમજણ છે. ।।૮૯।।