અને જો રુચિ સારી બંધાણી હોય ને વિષયમાં પણ તણાતો ન હોય પણ તેમાં રુચિનું બળવાનપણું હોય તો કસર ટળાવે, ને વાસના બળવાન હોય તો વિષય આપે ને અંતે તો મુકાવે. માન-પાન કે પેમ્ર ની અપેક્ષા વિના પોતાનું સમજીને કરે ને બીજા પાસે પણ કરાવે. સત્સંગના ઉત્કષર્ માટે તન, મન, ધન સમર્પણ કરી નાખે. જરૂર પડ્યે માથુ દેવા પણ તૈયાર હોય. સંતોભકતોનો ઉત્કષર્ એજ જેનેપોતાનો ઉત્કર્ષ હોય, તેનું સુખ-દુ:ખ અજે પોતાનું સખુ -દુ:ખ માનતા હોય તેવા પાયાના પથ્થર સમા ડૂબીને રહેનારા ભકતોને ઘરધણી જેવા કહેવાય છે. અને મોટા આગળ જે ધર્મમાં શિથિલ હોય તે સર્વે દબાય કે નહિ ? તેનો ઉત્તર કર્યો જે, ‘દૈવી હોય તે દબાય ને આસુરી હોય તે ન દબાય.’ ।।૯૧।।