અને જેમ છે એમ કહેવાય નહિ, ને કહીએ તો અર્ધી સભા ઉઠી જાય, પણ શાસ્ત્રમાં કહ્યા છે એવા ખરે ખરા સાધુ મળેને તે  કહે તેમ કરે, તો કોટિ જન્‍મે કસર ટળવાની કોય તે આજ ટાળી નાખે ને બ્રહ્મરુપ કરી મૂકે. એ તો ‘ગોકુલ ગામકો પિંડો હે ન્‍યારો’ અને આ તો જીભ ઝાલીને બોલીએ છીએ એમ બોલ્‍યા. ૨૪૪