દત્તાત્રેય બે જીવનું કલ્‍યાણ કર્યું, કપિલે એક જીવનું કલ્‍યાણ કર્યું ને ઋષભદેવે સો જીવનું કલ્‍યાણ કર્યું, ને આજ સાધુ કહે : કે ‘અમે દૈવી જીવનું કલ્‍યાણ કરીએ, પણ આસુરીનું કલ્‍યાણ અમારાથી ન થાય.’ ત્‍યારે ભગવાન કહે: ‘આસુરીનું કલ્‍યાણ અમે કરશું’ તે મુંઝોસૂરુ, માનભા, જોબનપગી ને તખોપગી એ તો પાપના પર્વત કહેવાય, એને તો ભગવાન સત્‍સંગ કરાવે, પણ એ સાધુથી વળે નહી. ૨૪૭