અને જૂનાગઢના જમાન મહારાજ બે વાર થયા છે. એક વાર વરતાલમાં ને બીજીવાર ગઢડામાં એમ કહ્યું. તે ઉપર એક સંતે પૂછયું : જે જમાન થયા તે શું સમજવું ? ત્‍યારે સ્‍વામી બેલ્‍યા : જે માયાનું બંધન થાવા દે નહિ. પછી ફરીને સંતે પૂછયું : જે તે જમાનગરું કયાં સુધી રહેશે ? પછી સ્‍વામી બોલ્‍યા : જે આપણે છીએ ત્‍યાં સુધી તો ખરું, પણ હજી તો મહારાજનું જ્ઞાન છે. ને વળી મહારાજ કહે: કે ‘જૂનાગઢ જાય તેની કરોડ જન્‍મની કસર ટાળી નાખશું’ અને અમે ગઢડેથી આવ્‍યા ત્‍યારે એ ભાતું બંધાવ્‍યું હતું. ૨૭૧