અને આપણે કાંઇક કામ સારું કર્યું હોય ને તેનું આપણને માન આવતું હોય, તે સારુ મોટા કહે જે આ કામ બગાડયું, તો પણ રાજી રહેવું, કેમ જે આપણને તો પૂર્વાપર સૂઝે નહિ ને મોટા તો દીર્ધદર્શી છે તે આગળ થાવાનું દેખે છે. ૨૭૮