અને શાસ્ત્રમાં કહ્યું છે : ‘શ્રેયાંસિ બહુ વિઘ્નાનિ’ ને લોકમાં કહે છે : જે ‘સારા કામમાં સો વિઘ્ન’ માટે પરમેશ્વર ભજવામાં ને પરમેશ્વરનું સ્વરુપ સમજવામાં બહુ અંતરાય છે, તે અંતરાયને ઓળખીને તેથી મુકાઇને બહુ ખપવાળો હોય તે પરમેશ્વર સંમુખ ચાલે, નીકર ચલાય એવું નથી, કેમ જે આ લોકમાં અનેક અંતરાય છે. ૩૩૭