અને સત્‍પુરુષને સંબંધે કરીને જીવને જે સંસ્‍કાર થાય છે તે એક જન્‍મે, બે જન્‍મે પણ ભગવાનના ધામને પમાડે એવો પ્રગટનો પ્રતાપ છે. તેની વિકિત જે: એનું દર્શન થાય, એનો ગુણ લે, એનો પક્ષ લે, એ આગળ હાથ જોડે, વળી સાધુ બહુ સારા છે એમ બોલે ને એને અન્નજળ આપે, ઇત્‍યાદિક સંબંધ થાય, વળી જે ઝાડ તળે બેસે, વળી જે ઝાડનું ફળ જમે, વળી જે ઢોરનું દૂધ દહીં જમે, ઇત્‍યાદિક અનંત પ્રકારે જીવને સંબંધ થાય, તો તે સર્વે ભગવાનના ધામને પામે એવો પ્રંગટનો સંબંધ બળવાન છે. અને પરોક્ષના સંસ્‍કારનું ફળ થાય જે ખાવા મળે, દેહે સાજો રહે, લોકમાં આબરુ વધે, ને ધર્મ રહે, એ પરોક્ષના આશરાનું ફળ છે. ૨૯૯